જો તમે સરકારી કામ, નોકરી, કોલેજ એડમિશન, બેંકિંગ અથવા બિઝનેસ સંબંધિત જરૂરી દસ્તાવેજોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે સ્પીડ પોસ્ટનો ઉપયોગ કરો છો, તો હવે તમારે પહેલાથી વધારે સાવધાન રહેવાની જરૂરત છે, કારણ કે ઈન્ડિયા પોસ્ટે સ્પીડ પોસ્ટ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે 1 ઓગસ્ટથી લાગુ થઈ જશે.
સૌથી મોટો ફેરફાર એ છે કે, હવે પોસ્ટ ઓફિસ એ નક્કી કરશે કે, તમારું પરબિડીયું (લિફાફા) ડોક્યુમેન્ટ છે કે પાર્સલ? જો તમે દસ્તાવેજો સાથે કોઈ બીજી વસ્તુ રાખી દીધી, ભલે તે કેટલી પણ નાની કેમ ન હોય, તો તમારી પોસ્ટને પાર્સલ માનવામાં આવશે અને તે હિસાબથી ચાર્જ લેવામાં આવશે. એટલે કે, ઘણા કિસ્સાઓમાં તમારે પહેલાથી વધારે રૂપિયા ચૂકવવા પડી શકે છે.
આખરે શું બદલાયું?: પહેલા ઘણા લોકો સ્પીડ પોસ્ટથી દસ્તાવેજની સાથે નાની-મોટી વસ્તુઓ પણ મોકલી દેતા હતા. તેનાથી એ નક્કી કરવું મુશ્કેલ થઈ જતું હતું કે, તેને દસ્તાવેજ માનવો કે પાર્સલ. પરંતુ હવે આ કન્ફ્યૂઝનને દૂર કરવા માટે પોસ્ટ વિભાગે બંને માટે અલગ-અલગ કેટેગરી બનાવી દીધી છે.
સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવતી પોસ્ટને 2 ભાગમાં વહેંચવામાં આવશેઃ 1. દસ્તાવેજ (Document), 2. પાર્સલ (Parcel).
જો તમારા પરબિડીયામાં માત્ર કાગળ પર છપાયેલી કે લખેલી જરૂરી જાણકારી છે, ત્યારે તેને દસ્તાવેજ માનવામાં આવશે. પરંતુ જો તે પરબિડીયામાં કોઈ પણ બીજી વસ્તુ મળી, તો તે સીધું પાર્સલ કેટેગરીમાં જતું રહેશે
કઈ વસ્તુને માનવામાં આવશે દસ્તાવેજ?:
નવા નિયમ અનુસાર, માત્ર કાગળને જ દસ્તાવેજ માનવામાં આવશે. આ કેટેગરીમાં ઘણા દસ્તાવેજને સામેલ કરવામાં આવી શકે છે. (1). શૈક્ષણિક પ્રમાણપત્ર (Educational Certificates), (2). આધાર, પાન કે અન્ય દસ્તાવેજોની કોપી, (3) લીગલ દસ્તાવેજ, (4). બેંક સંબંધિત દસ્તાવેજ, (5). એપ્લિકેશન ફોર્મ અથવા બીજા જરૂરી પેપર દસ્તાવેજ. જો પરબિડીયામાં માત્ર આટલા જ દસ્તાવેજ છે, તો તમારે ડોક્યૂમેન્ટની કેટેગરી પ્રમાણે જ ચાર્જ આપવો પડશે.
કઈ વસ્તુઓ પર લાગશે પાર્સલવાળો ચાર્જ?:
પેન ડ્રાઈવ, ચાવી, ગિફ્ટ, સેમ્પલ, ફોટો ફ્રેમ, કાર્ડ સાથે કોઈ સામાન અને બીજી કોઈપણ નાની-મોટી વસ્તુને પાર્સલ માનવામાં આવશે. ભલે ગમે તેટલી નાની વસ્તુ રાખવામાં આવી હોય, છતાય તેના પાર્સલ જેટલા જ ચાર્જ વસૂલવામાં આવશે.
આવો ફેરફાર કેમ કરવામાં આવ્યોઃ
ઈન્ડિયન પોસ્ટનું કહેવું છે કે, ઘણીવાર ગ્રાહકો દસ્તાવેજના નામ પર બીજી વસ્તુઓ મોકલી દેતા હતા. તેનાથી બુકિંગના સમયે એ નક્કી કરવું મુશ્કેલી થઈ જતું હતું કે, કયો ચાર્જ વસૂલવો. નવા નિયમ લાગુ થયા બાદ કર્મચારીઓને પણ સરળતા રહેશે અને ગ્રાહકોની સાથે ચાર્જને લઈને વિવાદ ઘટી જશે. બુકિંગ પ્રોસેસ પણ સરળ થઈ જશે.
કેટલો છે સ્પીડ પોસ્ટનો ચાર્જ?-
સ્પીડ પોસ્ટનો ચાર્જ વજન અને અંતરના આધાર પર નક્કી થાય છે. લોકલ વિસ્તારમાં 50 ગ્રામ સુધીના પોસ્ટ પાર્સલ માટે 19 રૂપિયા + GST અને બીજા શહેર કે રાજ્યોમાં 50 ગ્રામ સુધાના પાર્સલ પર 47 રૂપિયા + GST લાગશે
સ્પીડ પોસ્ટ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન- સૌથી પહેલા એ નક્કી કરો કે, તમારે માત્ર દસ્તાવેજ મોકલવા કે છે કોઈ સામાન. જો માત્ર દસ્તાવેજ મોકલી રહ્યા હોવ, તો પરબિડીયામાં કાગળ જ રાખો. કોઈપણ પ્રકારની નાની વસ્તુ, ગિફ્ટ, ચાવી, પેન ડ્રાઈવ અથવા અન્ય સામાન ન રાખો. પોસ્ટ ઓફિસમાં બુકિંગ પહેલા કર્મચારીને જણાવી દો કે, પરબિડીયામાં શું છે. ફી જમા કરતા પહેલા સ્લીપ પર લખેલી કેટેગરીની પણ એક વખત તપાસ કરી લેવી.